પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૧૫
મુંબઈ, તા. ૧૯-૧-૧૯૭૦
યોગીજી મહારાજે મકરસંક્રાંતિને દિવસે સાંજે ગોંડલથી વિદાય લીધી. રાજકોટ પધાર્યા. અહીં આશીર્વાદ આપતાં કહ્યું હતું.
'આપણે આશરો દૃઢ રાખવો ને ભજન કરવું. બે મુદ્દા રાખવા ને સેવા કરવી. એ ત્રણ વાત રાખવી. તો કોઈ દી' દુઃખ નહિ આવે. ને દુઃખ આવે તો તમે મને કાગળ લખજો.'
એ જ દિવસે ભાદરા મંદિરે દર્શન કરી આવ્યા. તા. ૧૭-૧-'૭૦ના સવારે પ્લેનમાં ભાવનગર થઈ બપોરે મુંબઈ પધાર્યા. દરેક જગ્યાએ ઍરપોર્ટ ઉપર હજારો હરિભક્તો દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીનાં દર્શન માટે એવી તો પડાપડી થઈ કે બધી વ્યવસ્થા બેકાબૂ થઈ ગઈ હતી. ઠેર ઠેર સ્વામીશ્રી પ્રત્યે લોકોને અનેરું ખેંચાણ થયું હતું.
આજે બપોરની કથામાં વચનામૃત વડતાલ પ્રકરણ ચૌદ વંચાવતાં કહે :'મહારાજે સંતનો આશરો કરવાનું કહ્યું :'પોતાનો આશરો કરવાનું ન કહ્યું. સંત એ મહારાજનું સ્વરૂપ જ છે. સંત ને મહારાજ એક જ છે એમ મહારાજનું કહેવાનું (તાત્પર્ય) છે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-9.7:
How Does One Develop Bhakti Towards God
"… Well, when one hears about the forms of God that are in each khand; and when one hears about the abodes of God - Golok, Vaikunth, Brahmapur, Shwetdwip, etc.; and when one listens with a sense of awe to talks of the divine actions of God describing the creation, sustenance and dissolution of the cosmos; and when one listens with keen interest to the narration of the divine actions and incidents of Rãm, Krishna and the other avatãrs of God, then bhakti towards God would develop."
[Loyã-9.7]