પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૧૪
રાજકોટ, તા. ૧૪-૧-૧૯૭૦
સાંજે રાજકોટ પધાર્યા. ગોંડલમાં સૌએ ભાવભીની વિદાય આપી. કેટલાક સંતો-ભક્તો રડી પડ્યા હતા. યોગીજી મહારાજની વિદાય સૌને વસમી બની જતી. સૌને અખંડ બ્રહ્માનંદનું સુખ આપતી એ અલમસ્ત મૂર્તિનાં પ્રત્યક્ષ દર્શન-પ્રસંગ જાણે-અજાણે સૌના જીવમાં જડાઈ જતાં. વિયોગની એ ક્ષણો પ્રાણહર બની જતી.
રાજકોટમાં અદાની દેરીએ દર્શન કરી, મંદિરે પધાર્યા. મકરસંક્રાંતિ નિમિત્તે સૌ હરિભક્તોએ સ્વામીશ્રીનું પૂજન કર્યું. આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું,'આપણે કોઈનું બગાડવું નહિ. બધાંનું હિત થાય એમ કરવું... ભગવાન સૌનું ભલું કરે. આખા હિંદુસ્તાનમાં, આખા વિશ્વમાં અક્ષરપુરુષોત્તમનો ડંકો વાગે... જુઓ, આપણે કેવો આશીર્વાદ આપ્યો કે ગોંડલ મંદિરના રસ્તેથી કોઈ ચાલે એ પણ બીજે જન્મે સત્સંગમાં જન્મ લે ને એનું કલ્યાણ થાય...'
આગલે દિવસ જ આશીર્વાદના આ શબ્દો સ્વામીશ્રીએ ગોંડલમાં ઉચ્ચારેલા. એ જ વાતને જાણે વિશેષ સમર્થન આપતા હોય એમ, આજે ફરીથી એવા જ વિશાળ ભાવનાયુક્ત આશીર્વાદ આપ્યા. ત્યારે આપણને સમજાય કે મોટા પુરુષ એમનેમ બોલી જતા નથી, પરંતુ એમનો પ્રત્યેક શબ્દ હંમેશાં સાર્થક હોય છે, જે દિવ્યભાવથી જ મનાય છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-6.22,23:
When to and When Not to Maintain Conceit
Again Shriji Mahãrãj posed a question, "When should one maintain conceit, and when should one not maintain conceit?"
Once again Shriji Mahãrãj supplied the answer: "One should not maintain conceit before a staunch follower of God, even though he may be a simple and meek devotee. On the other hand, one should certainly maintain conceit before a person who has fallen back from Satsang. In fact, one should not become suppressed by him, and in any question-answer exchange, his words should be answered with stern words of one's own."
[Loyã-6.22,23]