પ્રેરણા પરિમલ
રાત બધી ભગવાનનું ભજન કરીએ...
ઉત્તરાખંડની યાત્રામાં સ્વામીશ્રી હિમાલયનાં તીર્થોમાં વિચરી રહ્યા હતા. સાથે ૩૫૦ જેટલા સંતો ને હરિભક્તોનો મોટો સંઘ. સૌનો રાત્રિનિવાસ ઉત્તરકાશીમાં ભાગીરથીતટે આવેલા કૈલાસ આશ્રમમાં હતો. હિમાલયના ચઢાણ-ઉતરાણ ને અનિયમિત વિશ્રામને લીધે સૌ થાક્યા-પાક્યા નિદ્રાધીન થયા હતા પણ એક આત્માની નીંદ ઊડી ગઈ હતી - એ હતા સ્વામીશ્રી.
નજર સામે ખળખળ વહેતી ભાગીરથી : દૂધમલિયું આકાશ : સઘન વનરાજીમાંથી આવતો પવન : નીરવ શાંતિ : અનોખું એકાંત : સ્વામીશ્રી પથારીમાં બેઠા થઈ ધૂન કરવા લાગ્યા. બાજુમાં નીચે સૂતેલા સેવક નારાયણચરણ સ્વામી હળવે ફફડતા હોઠ ને તાળીના લગારેક થતા અવાજને પારખી ઝટ જાગી ગયા. ઘડીભર તેઓ પણ સ્વામીશ્રી સાથે ધૂન કરવા લાગ્યા. ૨૦ મિનિટ પછી પૂછ્યું : 'બાપા ! પોઢવું નથી ?'
સ્વામીશ્રી કહે : 'એમ થાય છે કે રાત બધી ભગવાનનું ભજન કરીએ. આવું સરસ સ્થાન છે તે... ઊંઘવાનું તો છે જ ને પછી...'
મધરાતે એકાંતમાં સ્વામીશ્રીની ભજનની લગની દંગ કરી દે તેવી હતી.
છેવટે સેવકના આગ્રહને વશ થઈને પોઢ્યા, તે વખતે રાત્રિના ૨ વાગ્યા હતા !
Vachanamrut Gems
Gadhadã II-59:
For One's Liberation One should Not Hold a Grudge Against a Bhakta of God
“Moreover, even if one’s wife, son or other family members are unworthy, and even if they are immoral and vile, in no way would one perceive flaws in them. Conversely, even if the Bhakta of God possesses every noble virtue, if he were to utter even a few harsh words, then one would hold a grudge against him for as long as one lives. If a person has such an attitude, then in no way can he be said to have as much affection for the Bhakta of God as he does for his relatives. Consequently, he would not attain liberation.”
[Gadhadã II-59]