પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૫૦
મુંબઈ, તા. ૨૨-૯-૧૯૬૯
આજે જળઝીલણીનો સમૈયો હતો. 'ગેટ વે આૅફ ઈન્ડિયા' ઉપર દર વર્ષની માફક ઊજવ્યો હતો. યોગીજી મહારાજ નહોતા આવી શક્યા, પણ બધાંયને મોકલ્યા. ત્યાગવલ્લભ સ્વામી રોકાયા હતા. એમને પણ આજ્ઞા કરી : 'સમૈયો કરી આવો, દરિયાની હવા ખાઈ આવો.' ગણેશોત્સવમાં લોકો ધામધૂમ કરે છે તો આપણા સમૈયામાં પણ બૅન્ડવાજાં જોઈએ, એવો આગ્રહ સ્વામીશ્રી રાખતા. ભાડે બૅન્ડ લાવવાની પણ મરજી બતાવતા.
બપોરે ૩.૩૦ વાગે અમે પાછા આવ્યા ત્યારે સ્વામીશ્રી કહે, 'મેં આજે ચાર સમૈયા કર્યા. ગોંડલ, સારંગપુર, અહીંનો ને ભાદરાનો... ભાદરાની ઊંડ નદીમાં સમૈયો કર્યો.'
'બાપા, હોડી લાવ્યા હતા ?' અમે પૂછ્યું.
'હા, મોટી સ્ટીમર હતી, ને તેમાં મહારાજ ને અનંતકોટિ મુક્તો બેસાડ્યા હતા. શું કામ મોળું વાટવું...' એમ કહી હસવા લાગ્યા. માંદગીને કારણે સ્વામીશ્રી સમૈયામાં હાજર રહી ન શક્યા, પણ માનસીમાં 'સમર્તિ'નો (સ્મૃતિનો) સમૈયો મન મૂકીને અતિ ઉત્સાહપૂર્વક ઊજવ્યો !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-56:
Pleasing God
“… In the same way, then, when a person who has affection for the panchvishays encounters evil company, one can never be certain about him. “Thus, to please God, a devotee should totally discard the panchvishays. He should also abandon any affection for objects which may hinder his love for God.”
[Gadhadã II-56]