પ્રેરણા પરિમલ
આ તો અમારી પ્રકૃતિ છે...
(તા. ૦૪-૦૧-૨૦૦૮, મુંબઈ)
સી.કે. પીઠાવાલા, ચંદ્રવદન પીઠાવાલા અને મહેશ પીઠાવાલા સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. સી.કે. પીઠાવાલાએ વાતચીત દરમ્યાન બ્રહ્મવિહારી સ્વામીને કહ્યું : 'બાપાએ હમણાં સંપૂર્ણ આરામ કરવો જોઈએ. આ ઉંમરે પણ તેઓ ખૂબ પરિશ્રમ લઈ રહ્યા છે. તેમણે કોઈને મળવું ના જોઈએ.'
બ્રહ્મવિહારી સ્વામીએ સ્વામીશ્રીને જ્યારે આ વાત કરી ત્યારે સ્વામીશ્રી કહે : આ તો અમારી પ્રકૃતિ છે. મળ્યા વગર રહેવાય જ નહીં.' આટલું કહેતાં જમણા હાથે ચપટી વગાડતાં સ્વામીશ્રી કહે, 'હરિભક્તોને મળવા માટે ચટપટી થાય છે.'
હરિભક્તો પ્રત્યે સ્વામીશ્રીની કરુણા અને વત્સલતાનું આ વિરલ દર્શન હતું!
Vachanamrut Gems
Loyã-1:
Highest Level of Vairagya
"Now, if a person with the highest level of vairãgya were to come across women and other worldly objects even in solitude, he would not be enticed. Such a person can be considered to be one with the highest level of vairãgya."
[Loyã-1]