પ્રેરણા પરિમલ
કહત હૈ સંત સુજાણ... પ્રમુખસ્વામી મહારાજે સદ્ વાંચન પર વરસાવેલા અમૃતનું આચમન
(તા. ૧૮-૩-૯૪, મોડાસા)
મોડાસામાં બપોરે ભોજન દરમ્યાન સદ્વાંચન ઉપર સ્વામીશ્રીએ ઘણો ભાર આપ્યો. ઈશ્વરચરણ સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું : 'સંપ્રદાયના ગ્રંથોની દૃઢતા થાય તો એમાંથી બધું જ મળી રહે.'
આ સાંભળતાં જ સ્વામીશ્રી કહેવા લાગ્યા : 'એમાં માસ્ટરી આવે તો બધું જ થઈ જાય. મહારાજ-સ્વામીના ગ્રંથો છે એ વારેવારે વાંચે રાખે તો એમાંથી જ બધું સમાધાન મળી જાય. બીજાના વિચારોની અસર ન થાય. સંપ્રદાયના ગ્રંથોનું જ વાંચન-મનન હોય. યોગીજી મહારાજનું જીવનચરિત્ર અંદરથી વાંચે તો બીજું વાંચવાનું જ ન રહે. 'વચનામૃત'નું ચિંતન-વિચારપૂર્વક વાંચન કરે તો કોઈ સંકલ્પ, વિચાર કે પ્રશ્ન જ ન ઊઠે.'
Vachanamrut Gems
Gadhadã II-28:
Shriji Maharaj's Nature
“Now I shall describe My own nature. Even though I have a compassionate nature, if a person spites devotees of God, then I develop an aversion towards that person. If I hear someone speaking ill of devotees, then I would not feel like speaking to him, even if I had to. On the other hand, I become extremely pleased with one who menially serves the devotees of God…”
[Gadhadã II-28]