પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-11-2017, મુંબઈ
સ્વામીશ્રી સભામાંથી પોતાના ઉતારે પધાર્યા. અહીં હરિનયનદાસ સ્વામી શ્રી હાર્દિકભાઈ ગજ્જરને લઈને ઊભા હતા. તેમણે હાર્દિકભાઈ સામે નિર્દેશ કરીને કહ્યું :
“સ્વામી ! આમનું સમગ્ર મુંબઈમાં વર્ચ્યુઅલ ઇફેક્ટ્સમાં ખૂબ મોટું નામ છે. સ્ટાર ટી.વી. વગેરેનાં કામો તેમને ત્યાં આવે છે. આમને અરવિંદભાઈ બબ્બલ સાથે ખૂબ સારો ઘરોબો. અરવિંદભાઈ બબ્બલે સિગારેટ છોડી તે આમણે જાણ્યું. આમના મનમાં તો અતિ દૃઢ હતું કે ‘અરવિંદ કોઈ દિવસ સિગારેટ છોડે જ નહીં’, પણ તેમણે નજરે જોયું. વળી, અરવિંદભાઈએ બનાવેલી વ્યસન-મુક્તિની ‘મુક્તાનંદ’ ફિલ્મ પણ જોઈ. અને તેમને જાતે જ અંતરથી થયું કે ‘મારે પણ સિગારેટ છોડવી છે. અને સ્વામીશ્રીની સામે જ, તેમના આશીર્વાદ લઈને છોડવી છે.’ તેથી તેઓ અહીં આવ્યા છે.”
સ્વામીશ્રીએ ખૂબ રાજીપો દર્શાવતાં તેમને આશીર્વાદ આપ્યા અને અરવિંદભાઈ બબ્બલ સામે બે હાથ ઘસીને જેવી મુદ્રા કરી હતી તેવી જ મુદ્રા કરી. સંતોના મુખેથી ‘વાહ !’ નીકળી ગયું કે ‘હવે હાર્દિકભાઈનું વ્યસન ગયું !’
Vachanamrut Gems
Amdãvãd-7:
Shriji Maharaj's Supreme Glory
I went alone to the abode of Shri Purushottam Nãrãyan, which transcends everything. There, I saw that it was I who was Purushottam; I did not see anyone eminent apart from Myself. In this manner, I travelled to these places and finally returned to My body.
[Amdãvãd-7]