પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-11-2017, મુંબઈ
પૂજા પૂર્ણ થયા બાદ વડીલોએ મંચ પર આવી પ્રશ્નો પૂછ્યા અને સ્વામીશ્રીએ અદ્ભુત જવાબો આપ્યા.
પ્રશ્ન : ‘અમે હવે વૃદ્ધ થયા તો અમારે શું કરવાનું ?’
સ્વામીશ્રી : ‘વૃદ્ધ થયા એટલે તમારે સમજી રાખવું, સ્વામીની વાતમાં કહ્યું છે - ‘જૈસે બૂઢે બૈલ કું, ખેડુ ન દેવત ખાન; મુક્ત કહે યું વૃદ્ધ કો, સબ હી કરત અપમાન.’ (સ્વામીની વાત, 6-48) તેમ અવસ્થા થઈ, ગમે તેવો હોય, આદરભાવ પણ હોય પણ હવે એવું ન રહે. તમારે એમને (દીકરા-દીકરીને) અનુકૂળ થવું. તમને એ અનુકૂળ નહીં થાય. આ રીતે રહેશો તો સુખમાં, આનંદમાં ભજન થશે.’
પ્રશ્ન : ‘પરિવારમાં સ્વભાવોની વિચિત્રતા દેખાય છે તો શું કરવું ?’
સ્વામીશ્રી : ‘ઊગતી પેઢીને સ્વભાવો ઊગતા હોય. જાતજાતના હોય. આપણે વડીલ થયા એટલે રહેમ રાખવી, દયા રાખવી અને સમજી રાખવું કે આવું જ હોય. આખી જિંદગી આપણે આવું જ કર્યું છે. ટીટ ફોર ટેટ (જેવા સાથે તેવા)... કોઈ તમારું માનશે નહીં. Experience is a comb given to a bald man. (અનુભવ એ ટાલિયા વ્યક્તિને આપેલા કાંસકા જેવો છે.) એટલે તમારો અનુભવ બીજા પર લાદવો નહીં, તે આપણી પાસે રાખવો. તમે નાના હતા ત્યારે કોઈનું માન્યા નથી, માટે આ પણ માનશે નહીં. માટે એવી ચેષ્ટા કરવી નહીં.’
પ્રશ્ન : ‘છેલ્લાં 12 વર્ષથી હું સેવામાં છું. ઈશ્વરચરણ સ્વામી કહે છે કે સેવા કરો તો એકાંતિક થવાય. તો કેવી રીતે સેવા કરવી, તો એકાંતિક થવાય ને સેવામાંથી ન પડાય ?’
સ્વામીશ્રી : ‘શુદ્ધભાવે સેવા કરવી. કોઈ માન કે અપેક્ષા ન રાખીએ. એની એ જ ક્રિયા પણ સાથે ભજન કરીએ. ભાવ બદલવાનો છે. ભગવાન માટે જ. શુદ્ધભાવે સેવા કરવી કે મારે ભગવાન સાથે જ લેવા-દેવા છે. તે રીતે સેવા કરવી.’
પ્રશ્ન : ‘રવિસભામાં જવાનું મન નથી થતું તો શું કરવું ?’
સ્વામીશ્રી : ‘યોગીબાપામાં વિશ્વાસ રાખવો. એમણે આજ્ઞા કરી છે કે ‘ગમે તે થાય, પણ રવિસભા ભરવી જ.’ યુક્તિ કરીનેય એ આજ્ઞા પાળીએ તો કામ થઈ જાય. યોગીબાપાની આજ્ઞા એટલે અબજ રૂપિયા. અને ઘરનું કામ એટલે પાંચ રૂપિયા.’
પ્રશ્ન : ‘આપ વાત કરો છો કે નિર્માનીપણું એકડો છે. તે ન હોય તો બધા ગુણો કલંકરૂપ છે. પણ બહાર જો માન ન રાખીએ, નિર્માનીપણે વર્તીએ તો કોઈ ગાંઠે નહીં અને વ્યવહાર થાય નહીં. તો શું કરવું ?’
સ્વામીશ્રી : ‘આ (નિર્માનીપણે રહેવું) તે સત્સંગની વાત છે, બીજે નહીં. જગતમાં તો જે રીતે કરવું ઘટે તે રીતે કરવું.’
આ રીતે સ્વામીશ્રી સાથે ખૂબ સુંદર પ્રશ્નોત્તરી થઈ.
Vachanamrut Gems
Gadhadã II-35:
An Easy Path to Liberation
“… However, by the upãsanã of God, narrating His divine incidents, chanting His holy name, and observing one’s dharma, it is not at all difficult for the jiva to attain liberation; it is an easy path…”
[Gadhadã II-35]