પ્રેરણા પરિમલ
સ્વામીશ્રી અને સંતોઃ ૩
સ્વામીશ્રીને નાની નાની બાબતોમાં પણ સંતોનો કેટલો બધો ખ્યાલ ! એક વખત ગઢડામાં ડૉક્ટર સ્વામી અને નરેન્દ્રપ્રસાદ સ્વામી સ્વામીશ્રીને મળવા એમના ઓરડામાં ગયા. ઓરડામાં દાખલ થતાંની સાથે જ લાઇટ ગઈ. સ્વામીશ્રીએ બંને સંતોને બોલાવ્યા અને બેસાડ્યા. વાતચીત ચાલી. વચ્ચે અચાનક લાઇટ આવી ત્યારે જોયું તો સ્વામીશ્રીએ પોતાનું આસન તે બંને સંતો માટે પાથરી દીધું હતું અને પોતે નીચે બેઠા હતા !
એક વખત સ્વામીશ્રી નડિયાદમાં મંદિરે દર્શન માટે પધાર્યા. તે વખતે દંડવત્ પ્રણામ કરવા એ નમ્યા. શિયાળાની ઠંડીને કારણે ફરસ ઠંડી થઈ ગઈ હતી. સર્વમંગલ સ્વામીએ તરત પોતાની શાલ પાથરી દીધી જેથી સ્વામીશ્રીને ઠંડી ન લાગે. સ્વામીશ્રી ઊભા રહી ગયા, બોલ્યા : 'શાલ પાથરી, પણ તમે ખુલ્લા થયા. લ્યો, અમારું ગાતરિયું ઓઢો.' એમ કહી પોતાનું ગાતરિયું સર્વમંગલ સ્વામીને ઓઢાડ્યું. સંતોની કાળજી રાખવાનું સ્વામીશ્રીને કેવું તાન છે !
Vachanamrut Gems
Kãriyãni-9:
Not Developing a Grudge Towards a Devotee
"Therefore, one who understands the greatness of a devotee of God in this way will never develop a grudge due to a person's flaws. Moreover, one who understands such greatness never takes into account even minor drawbacks that are present in a devotee of the manifest form of one's own Ishtadev…"
[Kãriyãni-9]