પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી સાયંકાળે શમીવૃક્ષ અને એની બાજુમાં ઉપસ્થિત શાસ્ત્રીજી મહારાજની પાલખી જ્યાં ઉતારી હતી ત્યાં પધરાવેલ શ્રીહરિનાં ચરણારવિંદનાં દર્શન કરવા પધાર્યા.
અત્રે આત્મતૃપ્તદાસ સ્વામી વ્યસનમુક્તિનાં સૂત્રોની જેમ બોલાવી રહ્યા હતા : ‘एक-दो-तीन-चार...’ સંતો સમૂહમાં બોલતા હતા : ‘અભાવ-અવગુણને કાઢો બહાર.’
સ્વામીશ્રીથી આ સૂત્ર સાંભળીને રહી ન શકાયું. તેઓ તેમાં પુષ્ટિ કરતાં બોલ્યા : ‘અભાવ-અવગુણને ખેંચીને બહાર કાઢો...’
આત્મતૃપ્તદાસ સ્વામીએ વધુ સ્પષ્ટતા માટે પૂછ્યું : ‘કેવી રીતે ?’
સ્વામીશ્રી કહે : ‘ચૂરેચૂરા કરી દો.’ (હાથથી મસળવાની મુદ્રા કરી.) પછી કારણ સમજાવતાં કહે : ‘અભાવ-અવગુણ લેનાર પોતે દુઃખી થાય અને બીજાનેય દુઃખી કરે. વળી, તે પોતે દુઃખી થાય છે, તે તેને ખબર ન પડે.’
Vachanamrut Gems
Loyã-17:
Realising the Greatness of the Sant by That of God
"In addition to realising the greatness of God, such a person also deeply realises the greatness of the Sant who worships God. He feels, 'This Sant is truly great because he is a true devotee of the manifest form of God.' …"
[Loyã-17]