પ્રેરણા પરિમલ
નર્યું વાત્સલ્ય, નર્યો પ્રેમ !
માતાપિતા સંતાનની સુખાકારીની જેટલી ચિંતા કરે; પોતાનાં બાળકોને કશી અગવડ ન પડે, કશી મૂંઝવણ ન રહે એ માટે સતત કાળજી રાખ્યા કરે એવી જ ચિંતા સ્વામીશ્રી હરિભક્તો માટે કરતા અને કાળજી પણ એટલી જ રાખતા.
મુંબઈથી ડૉ. યોગીન દવે સ્વામીશ્રીની તબિયતની ખબર કાઢવા આવ્યા હતા. એ વધારે રોકાઈ શકે એમ નહોતા. સ્વામીશ્રીએ પૂછ્યું : 'વળતાનું રિઝર્વેશન છે ?'
'ના, બાપા.' ડૉક્ટરે કહ્યું : 'પણ સ્ટેશન ઉપરથી ટિકિટ મળી જશે.' સ્વામીશ્રીએ સેવકને કહ્યું : 'ડૉક્ટર આજે સાંજે જાય છે માટે ટિકિટ અને રિઝર્વેશનનું થઈ જાય એમ કરશો.'
સાંજે ડૉ. યોગીન રજા લેવા આવ્યા ત્યારે સ્વામીશ્રીએ કહ્યું : 'તમારી ટિકિટ રિઝર્વેશન સાથે આવી ગઈ છે.'
પિતાની પુત્ર માટે કાળજી લેવાની સ્વાભાવિકતા અહીં જોઈ શકાશે. નર્યું વાત્સલ્ય, નર્યો પ્રેમ !
Vachanamrut Gems
Kãriyãni-10:
Retaining the Upasana of God
"Furthermore, by the grace of God, those who are devotees of God may become like Brahmã, Shiv, Shukji or Nãrad; they may even become like Prakruti-Purush; or they may become like Brahma or Akshar. However, no one is capable of becoming like Shri Purushottam Nãrãyan. Therefore, just as one shuns a vile person, one should immediately shun the company of those persons and those scriptures that refute the upãsanã of God and break one's master-servant relationship with God."
[Kãriyãni-10]