પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-2-2017, જાલંધર
રાત્રે ચેષ્ટાગાન બાદ સ્વામીશ્રીને પોઢાડવા માટે અમેરિકામાં સેવા આપી રહેલા વિવેકનિધિદાસ સ્વામી આવ્યા હતા. સ્વામીશ્રી તેમને જોઈને બોલ્યા : ‘મારું નામ ખબર છે ?’ પછી વિમાસણમાં પડેલા આજુબાજુના સંતોને ગૂંચમાંથી બહાર કાઢતાં કહે : ‘આવું તેમણે મને પૂછેલું... તેમનું (પૂર્વાશ્રમનું) નામ સંજય (હતું)...’
વિવેકનિધિદાસ સ્વામી તો અતિ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. તે કહે : ‘ઓ... ઓ... સ્વામી ! આપને યાદ છે ?! આ તો 35-36 વર્ષ પહેલાંની વાત છે.’
સ્વામીશ્રી સ્મૃતિ સરોવરમાં વધુ ઊંડા ઊતરતાં કહે : ‘આવું ક્યાં પૂછ્યું’તું ?’
પછી તેનો ઉત્તર પણ જાતે જ આપ્યો : ‘અમદાવાદમાં આપણે આમ (બે હાથ સામસામે ભેગા કરીને બતાવ્યું.) એકદમ સામસામે આવી ગયા’તા, ત્યારે તમે આ પ્રશ્ન પૂછ્યો હતો.’
વિવેકનિધિદાસ સ્વામી કહે : ‘સ્વામી ! જગ્યા તો હુંય ભૂલી ગયો’તો... આપ અમને કેટલા બધા યાદ રાખો છો !’
સ્વામીશ્રી આપણને સૌને પોતાના માને છે, તેથી આપણી આવી અનેક સ્મૃતિઓ તેઓનાં મન-હૃદયમાં હંમેશા માટે અંકિત થઈ જાય છે.
Vachanamrut Gems
Gadhadã II-1:
Attributes of One Free form Infatuation
"When attachment to the vishays is eradicated, a person no longer makes distinctions between pleasant and unpleasant vishays - an ugly woman appears the same as a beautiful woman. In the same manner, he sees everything - animals, wood, dung, stones and gold - to be the same; he is not infatuated on seeing a pleasant object. This is how he views the panchvishays; no distinctions between pleasantness and unpleasantness remain in his mind. One who behaves like this is known to be free of infatuation…"
[Gadhadã II-1]