પ્રેરણા પરિમલ
મહિમાની વાતો કરવી ને સાંભળવી...
(તા. ૦૮-૦૧-૨૦૦૮, મુંબઈ)
સારંગપુરમાં યુવા તાલીમ કેન્દ્રમાં અનેક યુવાનો જીવનઘડતરની તાલીમ મેળવી રહ્યા છે. આવા એક મુમુક્ષુના પત્રના ઉત્તરમાં સ્વામીશ્રીએ લખ્યું : 'ટ્રેનિંગ સેન્ટરમાં અભ્યાસ બરાબર કરજે, જે સેવા મળે એ મહિમાથી કરવી. સર્વે સંતોનો રાજીપો મેળવવો. સાથે રહીને દરેકનો મહિમા સમજીને અવગુણ ન જોતાં, સર્વના ગુણ જોવા, મહિમાની વાતો કરવી ને સાંભળવી. ઠાકોરજીનાં દર્શન અને સેવા બરાબર કરવા, આળસ ન રાખવી. આજ્ઞા-ઉપાસના, નિયમ-ધર્મ, કથાવાર્તાની વિશેષ દૃઢતા થાય, તેઓની વાતો સાંભળવી. નાનામોટાનો મહિમા સમજીને અભ્યાસ સારો કરવો.'
Vachanamrut Gems
Loyã-1:
The Sin of Maligning the Sant
"One who harbours an aversion towards the Sant is unable to become pure by any form of atonement. In fact, release from the sins of lust and other vices is possible, but release from the sin of maligning the Sant is not possible…"
[Loyã-1]