પ્રેરણા પરિમલ
ધ્યેય રાખજો...
મુલાકાત દરમ્યાન અમદાવાદ રહેતા મૂળ ધર્મજના રશ્મિભાઈના સુપુત્ર પોતાના સુપુત્રને લઈને પ્રમુખસ્વામી મહારાજના દર્શને આવ્યા. સ્વામીશ્રી આગળ રોસ્ટ્રમ ઉપર એને સૂવડાવીને કહે, 'બાપા! આનું નામ પાડવાનું છે.'
'કઈ રાશી છે?'
'મીન રાશિ છે.'
'ધ્યેય રાખજો.'
ત્યારપછી તરત જ નાના શિશુ તરફ દૃષ્ટિ કરતાં એને સંબોધીને સ્વામીશ્રી કહે, 'ધ્યેય નામ છે, તો ધ્યેય રાખજે ભગવાન ભજવાનું.'
Vachanamrut Gems
Loyã-1:
Not Deviating from Niyams
"… However, even after the roots of lust have been eradicated, one should not deviate from brahmacharya and other niyams in any way…"
[Loyã-1]