પ્રેરણા પરિમલ
સત્સંગ મુકાય નહીં
(તા. ૧૩-૧૧-૦૬, લંડન)
પ્રમુખસ્વામી મહારાજ પાસે કેટલાક યુવકોને લઈને અનુપમ સ્વામી તથા આનંદપ્રિય સ્વામી આવ્યા હતા. આ યુવકો પહેલાં સત્સંગમાં સક્રિય હતા, પરંતુ હવે પ્રમાણમાં નિષ્ક્રિય હતા.
સ્વામીશ્રીએ પ્રેમથી તેઓને કહ્યું, 'નાનપણમાં બહુ જમી લીધા પછી હવે ન જમો તો ચાલે?'
'ના.' સૌએ ઉત્તર આપ્યો.
'તો નાનપણમાં પણ સત્સંગ કરતા અને હવે ન આવો તો કેમ ચાલે? જેમ ખાવાનું રોજ જોઈએ છે. કપડાં પણ રોજ જોઈએ છે, એમ સત્સંગ પણ રોજ કરવાનો હોય. સત્સંગથી જીવન સુધરશે, લાઇફ સારી બનશે. સત્સંગ હશે તો ખોટો ખર્ચો નહીં થાય, બાકી કુસંગ લાગી જશે તો પૈસા ઉડાડવાનું થશે અને એમાંથી પછી હરવું-ફરવું પૈસા ઉડાડવામાં શાંતિ નહીં રહે. આ બધું ક્ષણિક સુખ છે. એની પાછળ ઘણી ઉપાધિઓ છે. એમાં કુટુંબમાંથી પણ છિન્નભિન્ન થઈ જવાય. એટલે અત્યારે આ ઉંમર છે. જો ભણતા હો તો સારામાં સારી ડિગ્રી મેળવો. ડિગ્રી વધારે મેળવશો તો સારી નોકરી મળશે અને માબાપથી માંડીને બધાની સેવા કરી શકશો.'
પછી સ્વામીશ્રી કહેઃ'આજથી નક્કી જ કરી દો. પૂજા પણ નિયમિત કરવી છે અને તિલકચાંદલો પણ નિયમિત કરવો છે.' સ્વામીશ્રીએ હેતપ્રીતથી આ ચારેય કિશોરોને પુનઃસત્સંગ તરફ વાળ્યા. વળી, સ્વામીશ્રી બળ આપતાં કહે, 'તિલકચાંદલો કરીએ એમાં આપણે કોઈનું બગાડતા નથી. આપણે આપણા કપાળમાં તિલકચાંદલો કરીએ છીએ. એમાં એનું ક્યાં બગાડીએ છીએ? આ ચેઈન પહેરો કે ચશ્માં પહેરો એય લોકોને ગમતું ન હોય તો ઓછાં કાઢી નાખીએ છીએ? ના પાડે તો પણ આપણે પહેરીએ જ છીએ ને! એમ શરમ ન રાખવી, તિલકચાંદલો પણ કરવો.'
Vachanamrut Gems
Sãrangpur-9:
Not Deviating From One's Dharma
"… So, even in the most difficult circumstances, or even if I were to issue a command, you should not deviate from your dharma…"
[Sãrangpur-9]