પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૭૨
મુંબઈ, તા. ૧૨-૧૦-૧૯૬૯
ચાર વાગે આરામમાંથી ઊઠ્યા. સ્વપ્નદર્શનની વાત કરતાં યોગીજી મહારાજ કહે, 'આજે ગોંડળમાં ગૌશાળા પાસે છાણ પડેલું. વાસીદું કોઈએ કરેલું નહિ, દાજીબાપુને પૂછ્યું તો કહે સાથી નથી. પછી મેં અને નાના જેન્તીએ વાસીદું કરવા માંડ્યું. તે બે ગાડા છાણ કાઢ્યું ને ચોખ્ખું ચાંદી જેવું કરી નાખ્યું. ને ઘઉંનું કુંવળ હોય તે બધે પાથરી દીધું, ઢોરને બેસવા માટે. ત્યાં હરિભક્તો આવ્યા ને ચોખ્ખું જોયું. બધા કહે, 'કોણે કર્યું ?' તો કહ્યું, 'દેવતાઓ કરી ગયા !'
સ્વપ્નાની વાતના અનુસંધાનમાં કોઈએ પૂછ્યું, 'બાપા ! આપે વાસીદું વાળ્યું હતું ?'
'હા, પચાસ વર્ષ પહેલાં જૂનાગઢમાં અમે વાસીદું વાળતા, ગોંડલમાં તો વાસણ ઊટકતા. હું ને ધર્મસ્વરૂપ ડોસા હતા તે બંને રોજ બપોરે, બધા સૂઈ જાય ત્યારે વાસણ ઊટકીએ. બે ગાડાં ભરાય એટલાં વાસણ હોય. પછી કોઈ પૂછે તો કહીએ, 'દેવતાઓ ઊટકી ગયા. અમને ખબર નથી.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-57:
A 'Cat-like' Devotee
“… If a so-called devotee of God does have more affection for some object than he has for God, then he is nothing but a ‘cat-like’ (deceitful) devotee. A true devotee of God, on the other hand, would definitely not hold anything dearer to him than God.”
[Gadhadã II-57]